પાછા
বিশেষজ্ঞ নিবন্ধ
કેળાનાં પાકની શ્રેષ્ઠ કૃષિ પ્રથાઓ

ઓછી કિંમતો, ઉચ્ચ પોષણ મૂલ્ય અને તમામ ઋતુઓમાં ઉપલબ્ધતાને કારણે, કેળા વિશ્વનું સૌથી વધારે આરોગવામાં આવતા ફળોમાંથી એક છે અને ઘણો જ નફાકારક પાક છે. કેળાનાં ઉત્પાદનમાં ભારતનો પ્રથમ ક્રમાંક આવે છે. તેને સમગ્ર વર્ષ દરમિયાન ઉગાડી શકાય છે પરંતુ કેળાનાં છોડની વૃદ્ધિ માટે સારો વરસાદ મળવો જરૂરી છે. કેટલીક સારી કૃષિ પ્રથાઓ અપનાવવાથી ઉચ્ચ ઉતારો મેળવવામાં વેગ મળી શકે છે. રોપણી ખાડાઓમાં કરવામાં આવે છે. ઉનાળુ રોપણીમાં, એક મહિનો અગાઉથી ખાડાઓ ખોદવા જોઇએ અને હાનિકારક જીવાતોનાં ઇંડાઓ કે ઇયળોનાં મારી નાખવા માટે સૌર વિકિરણ માટે ખુલ્લા રાખવા જોઇએ. રોપણી પહેલા 8-10 અઠવાડિયા પહેલા ધૈંચા કે ચોળા જેવા જૈવિક ખાતરનાં પાકો ઉગાડો અને તેઓને લીલા ખેતરમાં રૂપાંતરીત કરો, અને કેળાની રોપણી બાદ 45 દિવસ પછી ભારતીય શણ ઉગાડો અને એક મહિના પછી જમીનમાં લગાવો. રોપણી પહેલા 2 સપ્તાહ પહેલા ખેડાણ સારી રીતે કરવું જોઇએ. રોપણી વખતે ખાડાઓ પૂરવા માટે એફવાયએમ અને ઉપરી માટી સાથે નીમ કેક અને સ્યુડોમોનાસ ફ્લોરેસેન્સનો ઉપયોગ કરવો. ટીશ્યૂ કલ્ચર છોડવાઓનો ઉપયોગ રોગ મૂક્ત અને એકસરખા પાકનાં ઉભા થવામાં મદદરૂપ થાય છે. જો ટીશ્યૂ કલ્ચર છોડવાઓ ઉપલબ્ધ ન હોય તો રોગ અને જીવાત મૂક્ત છોડવાઓમાંથી સ્વોર્ડ સકર્સ લઇ શકાય છે. કેળાનો પાક અત્યંત ખોરાક અને પાણીની જરૂરીયાત ધરાવતો પાક છે. એકલ કેળાનાં છોડને છૂટક ડોઝમાં અંદાજીત 300 ગ્રામ નાઇટ્રોજન, 150 ગ્રામ ફોસ્ફરસ અને 300 ગ્રામ પોટેશિયમની જરૂર પડે છે. રોપણીનાં સમયે તુરંત, 4 દિવસ બાદ અને પછી દરેક અઠવાડિયે ખાડાઓમાં સિંચાઇ કરવાની જરૂર પડે છે. ખેતરમાં કોઇ ઘાસ ન હોવું જોઇએ. આવરણ પાકોનો ઉપયોગ કરવો અને વર્ષમાં ઓછામાં ઓછી 4 વખત કોદાળીથી ખોદણી કરવી જરૂરી છે.

undefined
undefined

કોફી, ચોળા, રિંગણ, અળવી (પતરવેલીયા), હળદર, ભિંડો, મૂળો, આદુ, ડુંગળી, લસણ વગેરે જેવા આંતર પાકો ઉગાડી શકાય છે જે ખેડૂતને વધારાની આવક અને સુરક્ષા પ્રદાન કરે છે. ઘઉંની દાંડીઓ, શેરડીનાં પાંદડાઓ કે સૂકા ઘાસથી મલ્ચિંગ કરવાથી પણ નિંદામણ વધતું અટકાવી શકાય છે અને ખેતરમાં ભેજનું પ્રમાણ જાળવી શકાય છે. જો ખેતરમાં નેમાટોડ જીવાતોની સમસ્યા હોય તો ગલગોટાનાં છોડને ટ્રેપ તરીકે ઉગાડી શકાય છે. અફિડ માટે બ્યુવેરીયા બાસિયાના જેવા જૈવનિયંત્રક એજન્ટોનો ઉપયોગ કરો, અને પનામા વિલ્ટ માટે રોપણીનાં બીજા મહિનામાં જૈવિક ખાતર સાથે 30 ગ્રામ ટ્રિકોડર્મા વિરિડાએ અથવા સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સ આપો. જોવામાં આવતાની સાથે જ પીળા ભૂખરા રોગ લાગેલા કે સડી ગયેલા પાંદડાઓ દૂર કરો. મુખ્ય છોડ સાથે ઉગી નીકળતા સૂસિયા કે બાળ છોડ દૂર કરી માત્ર પાકનાં મુખ્ય છોડને રહેવા દો. કેળાની કૂંપણો ફૂટવાની શરૂઆત થતાની સાથે જ નર પુષ્પ કાપી નાંખો. સિગાટોકા પાંદડાનાં ડાઘા જેવા રોગો ટાળવા માટે યોગ્ય ડ્રેનેજની ખાતરી કરો. કેળાનાં પાક માટે બંધિયાર પાણી હાનિકારક છે. તંદુરસ્ત ન હોય તેવી અને નબળી ગુણવત્તાની ડાળીઓ કાપી નાંખો. ભારે ઝૂમખાઓ થયા બાદ, જે તે ડાળીને વાંસ કે દોરડાથી સપોર્ટ પ્રદાન કરો. રોપણીનાં 3-4 મહિના બાદ, છોડનાં પાયા ફરતે 10-12 ઇંચમાં જમીનનાં સ્તરની ઉંચાઇમાં વધારો કરો. સૂર્યપ્રકાશથી થતી નુકશાનીઓ ટાળવા માટે હવા માટે બન્ને બાજુઓ ખૂલી રહે તે રીતે ઝૂમખાઓને પ્લાસ્ટિકનાં કાગળથી આવરી લો. નાના કેળાનાં પાકની વૈવિધ્યતાઓ 11-14 મહિનામાં અને મોટા કેળાનાં પાકોની વૈવિધ્યતાઓ 14-18 મહિનામાં પરિપક્વ થતી હોય છે. ભૌતિક પરિપક્વતા પર ઉતારો લો. ઉતારવામાં આવેલા ઝૂમખાઓને હવાચુસ્ત અને અગાઉથી ગરમ કરેલા ઓરડામાં 48-72 કલાક સુધી રાખીને પકવો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરો

મોબાઈલ ફાર્મ:- અમારી એપ વડે ગમે ત્યારે, ગમે ત્યાં બજારની વાસ્તવિક માહિતી મેળવો, તે પણ તમારી પોતાની ભાષામાં.

google play button
app_download
stars અન્ય મફત સુવિધાઓ stars
અત્યારે જ એપ ડાઉનલોડ કરો