

આજ સુધી મશરૂમની ખેતીની પ્રથા ઓછી હતી, પરંતુ બીતા કેટલાક વર્ષોમાં તેની માંગ વધી રહી છે, પરંતુ માંગ મુજબ તેનું ઉત્પાદન ઘટી રહ્યું છે, તેથી મશરૂમની ખેતી માટે હવે સરકારે અને અન્ય સંસ્થાઓ દ્વારા ઘણી યોજનાઓ અને શિક્ષણ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.જેનો લાભ ખેડૂત તેમની આવક વધારવા માટે લઈ શકે છે, જે ઓછા ખર્ચે મા મોટો નફો આપી શકે છે, તાજેતરના સમયમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર મશરૂમ્સના સૌથી મોટા ઉત્પાદકો છે. મશરૂમ ને ખુમ્બી, ખૂમ્બ, કુકુરમુત્તા વગેરે નામોથી પણ ઓળખાય છે.


મશરૂમ ઉત્પાદન માટે યોગ્ય વાતાવરણ અને પ્રકાર:-
મશરૂમ ઉત્પાદન માટે યોગ્ય વાતાવરણ અને પ્રકાર:-
માંગ અને પોષણ મૂલ્ય અનુસાર મશરૂમ્સની ત્રણ સૌથી વ્યાપક જાતો છે
1 બટન મશરૂમ,
2 ઓઇસ્ટર મશરૂમ
3 ડાંગર સ્ટ્રો મશરૂમ
ધીગરી મશરૂમની ખેતી સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી કરી શકાય છે,ત્યારબાદ ફેબ્રુઆરીથી માર્ચ સુધી બટન મશરૂમની ખેતી કરી શકાય છે,અને જૂનથી જુલાઈ સુધી દૂધિયું મશરૂમ ની ખેતી કરી શકાય છે.
આ રીતે તમે મશરૂમની ખેતી કરીને આખો વર્ષ પૈસા કમાઈ શકો છો,અને ખેડૂત આ ખેતી તેમની પરંપરાગત ખેતી સાથે કરી શકો છો. મશરૂમ ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ ચીજ બીજ હોય છે , જેને સ્પૉન પણ કહે છે. સ્પૉન તૈયાર કરવા માટે ઘઉંના બીજનો ઉપયોગ સર્વાધિક થાયે છે, આ માટે સારી ગુણવત્તાની ઘઉંનો ઉપયોગ કરવું જોઈએ, નહીં થી મશરૂમની ગુણવત્તા ખરાબ હોઈ શકે છે. શુરુવાત કરવા માટે સ્પૉન કોઈ પણ સરકારી સંસ્થા અથવા માન્યતા પ્રાપ્ત કૃષિ સંસ્થા થી લેવું જોઈએ, જેમની કિંમત 30 થી 50 રૂપ્ય પ્રતિ કિગ્રા થાયે છે, સ્પૉન પછી બીજી આવશ્યક વસ્તુ પ્લાસ્ટિક ની થેલી હોવે છે, જેનું માપ 15*18 MM ચોક્કસ હોવે છે અને તેમની કિંમત 1200 થી 1500 પ્રતિ 100 બેગ હોવે છે. તે પછી આવશ્યક ઘટક એ મોસમ જેમાં મશરૂમની ખેતી કરવામાં આવે છે, જેના માટે ઘઉં, ચોખા, રાઈ અને કપાસ ના તણખલું (સ્ટ્રો) નું ઉપયોગ થાય છે.


ઓઇસ્ટર મશરૂમ
ઓઇસ્ટર મશરૂમ
ધીંગરી મશરૂમ (ઓઇસ્ટર મશરૂમ) જેના દ્વારા ખેડૂતો આ કૃષિ અવશેષોનો ઉપયોગ કરીને તેમની આવક વધારી શકે છે.અને વૈજ્ઞાનિક રીતે આ કૃષિ અવશેષોનો ઉપયોગ કરીને તેમના ખેતરોની ઉર્વરકતા વધારી શકે છે.ધીંગરી મશરૂમ ની ખેતી આપણા દેશના કેટલાક રાજ્યો જેમ કે કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઘણા પ્રમાણમાં થઈ રહી છે.
સ્ટ્રો (ભુસા) ની સારવાર
સ્ટ્રો (ભુસા) ની સારવાર
મશરૂમની ખેતી માટે સ્ટ્રોની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.ઉપયોગમાં લેવાતા સ્ટ્રોમાં કોઈપણ પ્રકારના બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો ન હોવા જોઈએ. સ્ટ્રોની સારવારની કેટલીક પદ્ધતિઓ ખૂબ જ લોકપ્રિય છે, જેમાં સૌથી વધુ છે ગરમ પાણીથી સારવાર જેના માટે મોટા વાસણ અથવા ડ્રમ (50 - 60 C) માં પાણી ગરમ કરો અને તેને 20 થી 30 મિનિટ સુધી પાણીમાં સ્ટ્રો મિક્સ કરીને ઉકાળો, પછી સ્ટ્રોને પ્લાસ્ટિક ની પન્ની અથવા લોહ ની જાળી ના ઉપર ફેલાવી ને સુખાવા પછી સ્પૉન ઉમેરવો , આ સૌથી સસ્તી અને સરળ પદ્ધતિ છે.


રાસાયણિક પદ્ધતિ
રાસાયણિક પદ્ધતિ
આ પદ્ધતિમાં સ્ટ્રોની સારવાર કાર્બેન્ડાઝીમ અને ફોર્મલિન થી આપવી જોઈએ, જેના માટે પ્રથમ 200 લિટર ના પાણી ના ડ્રમમાં 90 લિટર પાણી લેવો અને પછી 7.5 ગ્રામ કાર્બેન્ડઝાઇમ અને 125 મિલી ફોર્મલિન દવા ડ્રમમાં મિલાવો, પછી ડ્રમમાં લગભગ 10-12 કિલો સૂકો સ્ટ્રો પણ મિલાવો, અને ડ્રમને પ્લાસ્ટિક ની પન્ની થી 15 થી 16 ઘંટે માટે ઢાકીને છોડી દેવું જોઈએ, અને સમય થઇ જાયે પછી સ્ટ્રો ને પ્લાસ્ટિક ની સાફ પન્ની અથવા લોહ ની જાળી ના ઉપર ફૈલવી દો જેથી અતિરિક્ત પાણી નીકળી જાયે, હવે આ સ્ટ્રો નું ઉપયોગ મશરૂમ ની ખેતી માટે થઇ શકે છે.


વાવણી પદ્ધતિ
વાવણી પદ્ધતિ
વાવણી કરતા પહેલા, જે કમરા માં મશરૂમ ના બેગ રાખવા ના છે તેને 2% ફોર્મલિનથી સારવાર કરવી જોઈએ. 50 કિલો સૂકા સ્ટ્રો માટે 5 કિલો બીજ જરૂરી હોવે છે,ધ્યાનમાં રાખો કે બીજ 20 દિવસથી વધુ જૂનું ન હોવું જોઈએ.અને મૌસમ ના આધારે મશરૂમ ની પ્રજાતિઓ નું ચયન કરવું જોઈએ. વાવણી માટે 4 કિલોની ક્ષમતા વાલી પોલિથિન બેગમાં 4 કિલો ભીનું સ્ટ્રો ભરો અને લગભગ 100 ગ્રામ બીજ સારી રીતે મિક્સ કરો. મિક્સ કરતા વક્ત બેગની અંદર કોઈ હવા ન આવે તેનું ધ્યાન રાખો, અને હવે પોલિથિનને વળીને રબર બેન્ડથી બંધ કરવું જોઈએ.આ પછી, પોલીથીનની આસપાસ 5 મી.મી. 10-15 છિદ્રો બનાવ જોઈએ.


વાવણી પછીની જાળવણી
વાવણી પછીની જાળવણી
વાવણી પછી બેગને સારવારવાળા કમરા માં રાખવા જોઈએ, અને 2 થી 4 દિવસ પછી બેગનું નિરીક્ષણ કરવું જોઈએ,જો કોઈ બેગમાં લીલો, કાળો અથવા વાદળી રંગ દેખાય તો આવી બેગને રૂમમાંથી કાઢી ને નાશ કરવો જોઈએ. જો બેગ અને રૂમનું તાપમાન 30 ° c વધારે લાગે તો રૂમની દિવાલો અને છત પર 2 થી 3 વખત પાણી નું છટકાવ કરવું જોઈએ અથવા કૂલરનો ઉપયોગ પણ કરી શકો છો.
બેગ પર પાણી એકઠું ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.લગભગ 15 થી 25 દિવસમાં, મશરૂમની ફંગલના જાળ સમગ્ર સ્ટ્રો પર ફેલાશે અને બેગ સફેદ દેખાવા લાગશે.આ સ્થિતિ માં પન્ની ને કાઢવું જોઈએ. ગર્મી ના મૌસમ મા પન્ની સંપૂર્ણ રીતે નથી કાડવું જોઈએ કારણ કે બેગમાં ભેજનો અભાવ હોઈ શકે છે. પન્ની કાઢવી પછી ફળ લેવા માટે કમરા અને બેગ પર 2 થી 3 વાર પાણી નું છટકાવ કરવું જોઈએ,
અને કમરા મા 6 થી 8 કલાક લઈટ ની વયસ્થા રાખવી જોઈએ, તમે ટ્યૂબે લાઈટ પણ વાપરી શકો છો.


લણણી
લણણી
25 થી 30 દિવસ પછી મશરૂમ ના કોના ઉપર ની બાજુ મુડવાં લાગશે, તેથી મશરૂમ ની પહેલી લણણી કરવી જોઈએ.મશરૂમને નીચેથી હલ્કુ ફેરવા થી મશરૂમ્સ તૂટી જાય છે.પ્રથમ લણણી પછી 8-10 દિવસ પછી બીજી લણણી કરી શકાય છે, અને 3 વખત લણણી થઇ શકે છે. એક કિલો સૂકા સ્ટ્રો થી 600 થી 650 ગ્રામ ઉપજ મિલી શકે છે.


સંગ્રહણ / બજાર
સંગ્રહણ / બજાર
લણણી પછી તરત જ મશરૂમ ને બેગ માં ન મૂકવા જોઈએ.લગભગ 3 કલાક પછી તેમને પેક કરવા જોઈએ,
ખેડૂત આ મશરૂમ્સ ને સંપૂર્ણપણે સુખાવી ને પણ વેચી શકે છે. આ મશરૂમ ની ખેતી માટે એક બેગ ના ઉપર 10 થી 15 રૂપિયા નું ખર્ચ પડે છે અને મશરૂમ ના બજાર ના ભાવ 200 થી 300 રૂપાય પ્રતિ કિગ્રા હોવે છે.


આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!

